અમદાવાદમાં સાહિત્યોત્સવ જશ્ન&એ&અદબ સાંસ્કૃતિક કારવાં વિરાસત યોજાશે

 ~ સાહિત્યોત્સવ જશ્ન-એ-અદબ સાંસ્કૃતિક કારવાં વિરાસત એ ભારતની સૌથી લોકપ્રિય અને સૌથી મોટી સાંસ્કૃતિક ઇવેન્ટ્સમાંની એક છે જેનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય (GoI) અને પ્રવાસન મંત્રાલય (GoI)ના સહયોગથી કરવામાં આવે છે.~

JR Choudhary
JR Choudhary Official | Verified Expert • 05 Aug, 2014 Chief Editor
Mar 21, 2024 • 7:01 PM | અમદાવાદ  0
S
Sangri Today Gujarati
BREAKING
JR Choudhary
2 years ago
અમદાવાદમાં સાહિત્યોત્સવ જશ્ન&એ&અદબ સાંસ્કૃતિક કારવાં વિરાસત યોજાશે
 ~ સાહિત્યોત્સવ જશ્ન-એ-અદબ સાંસ્કૃતિક કારવાં વિરાસત એ ભારતની સૌથી લોકપ્રિય અને સૌથી મોટી સાંસ્કૃતિક ઇવેન્ટ્સમાંની એક છે જેનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય (GoI) અને પ્રવાસન મંત્રાલય (GoI)ના સહયોગથી કરવામાં આવે છે.~
Full Story: https://gujarati.sangritoday.com/gujarat/literary-festival-jashn-e-adab-cultural-caravan-heritage-will-be-held-in-ahmedabad
https://gujarati.sangritoday.com/gujarat/literary-festival-jashn-e-adab-cultural-caravan-heritage-will-be-held-in-ahmedabad
Copied
અમદાવાદમાં સાહિત્યોત્સવ જશ્ન&એ&અદબ સાંસ્કૃતિક કારવાં વિરાસત યોજાશે
અમદાવાદમાં સાહિત્યોત્સવ જશ્ન&એ&અદબ સાંસ્કૃતિક કારવાં વિરાસત યોજાશે

 ~ સાહિત્યોત્સવ જશ્ન-એ-અદબ સાંસ્કૃતિક કારવાં વિરાસત એ ભારતની સૌથી લોકપ્રિય અને સૌથી મોટી સાંસ્કૃતિક ઇવેન્ટ્સમાંની એક છે જેનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય (GoI) અને પ્રવાસન મંત્રાલય (GoI)ના સહયોગથી કરવામાં આવે છે.~

~ સાહિત્યોત્સવ જશ્ન-એ-અદબ સાંસ્કૃતિક કારવાં વિરાસતના મંચ પર ભારતભરના નામાંકિત કલાકારો ચમકશે ~

અમદાવાદ (ગુજરાત); 19 મી માર્ચ, 2024; હિંદુસ્તાની કલા, સંસ્કૃતિ અને સાહિત્યનો સૌથી મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ સાહિત્યોત્સવ જશ્ન-એ-અદબ સાંસ્કૃતિક કારવાં વિરાસત પ્રથમવાર અમદાવાદમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા. 22 અને 23 માર્ચ, 2024 (શુક્રવાર અને શનિવાર)ના રોજ બપોરે 2 વાગ્યાથી શામિયાણા, રિવેરા સરોવર પોર્ટિકો, અમદાવાદ, ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે.  સંસ્કૃતિ મંત્રાલય (GoI) અને પ્રવાસન મંત્રાલય (GoI)ના સહયોગથી આ સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વિવિધ ભાગોમાંથી કુશળ હિન્દુસ્તાની કલાકારો આ સીમાચિહ્ન સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે અને પર્ફોમન્સ કરશે.

બધા પ્રેક્ષકો માટે મફત પ્રવેશ.

 

બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રેક્ષકોને કેટલાક શાનદાર પર્ફોમન્સ સાથે વ્યસ્ત રાખવા અને મનોરંજન પૂરું પાડવાનું વચન આપે છે.

 

22 મી  માર્ચ, 2024-દિવસ 1 (બપોરે 2.00 વાગ્યા પછી)

કાર્યક્રમની શરૂઆત બોમ્બે થિયેટર ગ્રૂપ દ્વારા 'ઘોસ્ટ રાઇટર' નાટકથી થશે.  લોકો 'શેરી નશીસ્ત' માં શ્રેષ્ઠ ભારતીય કવિઓને સાંભળી શકે છે.  રિચા જૈન અને તેના ગ્રૂપ દ્વારા કથક નૃત્ય પર્ફોમન્સ ‘મી રક્સમ’ આતુરતાથી જોવાનું બીજું એક પર્ફોમન્સ છે. ફરહીદ હસન ખાન અને મહેબૂબ હુસૈન ખાન દ્વારા ‘હોળી કે રંગ – વસંત ઉત્સવ’ શાસ્ત્રીય ગાયન દિવસને આગલા લેવલ પર લઈ જશે. અંતિમ પર્ફોમન્સ ભોપાલના રાજીવ સિંહ અને ગ્રૂપ દ્વારા સૂફી સિંગિંગ હશે.

 

23 મી માર્ચ, 2024-દિવસ 2 (બપોરે 2.00 વાગ્યા પછી)

 

બીજા દિવસની શરૂઆત દિલ્લી ઘરાનાના શકીલ અહેમદની મહેફિલ-એ-ગઝલથી થશે. લોકપ્રિય અભિનેતા વિનીત કુમાર (ફેમ: મહારાણી) પેનલ ચર્ચા ‘સિનેમા અને OTT – એક આયના કંઈ ચેહરે’માં તેમના વિચાર શેર કરશે. વિદ્યા શાહના મંત્રમુગ્ધ અવાજમાં ‘હોરી રંગ’ સાંભળવાનું ચૂકવું ન જોઈએ. પ્રતિષ્ઠિત કવિ ફરહત એહસાસ સમકાલીન કવિ અનસ ફૈઝી સાથે પેનલ ચર્ચા ‘યે ધુઆં સા કહાં સે ઉઠા હૈ’માં વાતચીત કરશે. રંગકર્મ કા સામાજિક પ્રભાવ વા વેબ સિરીઝ કી પ્રસન્ગીતા’ એ જાણીતા અભિનેતા અતુલ તિવારી (ફેમ: 3 ઇડિયટ્સ અને મહારાણી) અને વિનીત કુમાર (ફેમ: મહારાણી) વચ્ચે આકર્ષક ચર્ચા થશે. દિવસની વિશેષતા એ મુશાયરા અને કવિ સંમેલન હશે જેમાં ભારતના કેટલાક શ્રેષ્ઠ અને સૌથી પ્રખ્યાત શબ્દમિથ હશે જેમ કે- ફરહત એહસાસ, શમીમ અબ્બાસ, જમુના પ્રસાદ ઉપાધ્યાય, રમેશ શર્મા, મદન મોહન દાનિશ, ક્વેઝર ખાલિદ, કુંવર રણજીત ચૌહાણ, તનવીર ગાઝી, આઝમ શકીરી, જાવેદ મુશિરી અને રામાયણ ધર દ્વિવેદી.

 

સાહિત્યોત્સવ જશ્ન-એ-અદબના કવિ અને સ્થાપક કુંવર રણજીત ચૌહાણે આગામી કાર્યક્રમ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, સાહિત્યોત્સવ જશ્ન-એ-અદબ સાંસ્કૃતિક કારવાં વિરાસત’ ભારતમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં આગળ વધી રહ્યું છે અને વધુને વધુ લોકોને જીવંત હિન્દુસ્તાની કલા, સંસ્કૃતિ અને સાહિત્ય સાથે જોડે છે. દેશભરના ઘણા રાજ્યોમાં અદભૂત સફળતા બાદ, અમે સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અમદાવાદમાં પહોંચીને આનંદ અનુભવીએ છીએ. અમને ગર્વ અને નમ્રતા છે કે કુશળ, પ્રખ્યાત અને આદરણીય કલાકારો અમારા મંચ પર કૃપા કરવા અને પર્ફોર્મન્સ કરવા સંમત થયા છે. અમે ઇચ્છીએ છીએ કે વધુને વધુ લોકો આવે અને આ કલાકારોની તેજસ્વીતાના સાક્ષી બને. અમે ભારતીય યુવાનોને જોડવા માગીએ છીએ અને અમારી હિન્દુસ્તાની કલા, સંસ્કૃતિ અને સાહિત્યની જીવંતતા તેમને પ્રદર્શિત કરવા ઇચ્છીએ છીએ, તેમને અર્થપૂર્ણ કલાની સુલભતા પ્રદાન કરવા ઇચ્છીએ છીએ. અમે સંસ્કૃતિ મંત્રાલય (GoI) અને પ્રવાસન મંત્રાલય – અતુલ્ય ભારત (GoI)ના અમૂલ્ય સાથસહકાર બદલ આભારી છીએ."

 

સાહિત્યોત્સવ જશ્ન-એ-અદબ સાંસ્કૃતિક કારવાં વિરાસત 2023નું આયોજન ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવ્યું છે – દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ અને  જમ્મુ અને કાશ્મીર અને હજુ પણ તે ઘણા વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગળ વધશે.  સાહિત્યોત્સવ જશ્ન-એ-અદબ સાંસ્કૃતિક કારવાં વિરાસત આપણા દેશના વારસાના સારને મૂર્તિમંત કરે છે, જે હિન્દુસ્તાની કલા, સંસ્કૃતિ અને સાહિત્યના રૂપમાં જીવંત છે.

 

સાહિત્યોત્સવ જશ્ન-એ-અદબ હિન્દુસ્તાની કલા, સંસ્કૃતિ અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સૌથી મોટું પ્લેટફોર્મ છે, જે અધિકૃત સ્વરૂપો અને સાચી ભાવનાના સંરક્ષણ અને સંવર્ધન તરફ કામ કરી રહ્યું છે.

JR Choudhary Official | Verified Expert • 05 Aug, 2014 Chief Editor

amp_stories Web Stories
login Login
local_fire_department Trending menu Menu