દિલીપસિંહ ગોહિલને ભારત સરકાર દ્વારા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) માં સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે
ગોહિલને ગુજરાતમાંથી સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમની સાથે રાજસ્થાન, દિલ્હી અને તેલંગાણામાંથી પણ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

દિલીપ સિંહ ગોહિલને ભારત સરકાર દ્વારા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) માં સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આના પર ગોહિલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી, ગૃહ મંત્રી શ્રી અમિત શાહ જી અને ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ગોહિલને ગુજરાતમાંથી સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમની સાથે રાજસ્થાન, દિલ્હી અને તેલંગાણામાંથી પણ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
ગોહિલે ખાતરી આપી છે કે ટોચના નેતૃત્વ દ્વારા મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ. ગોહિલે જણાવ્યું હતું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય ખેડૂતો પાસેથી સરકારી અનાજની ખરીદી, ગોડાઉનમાં યોગ્ય રીતે સંગ્રહ કરવા અને અન્ન યોજનામાં ઓળખાયેલા લોકોને અનાજ પૂરું પાડવા જેવી મહત્વની જવાબદારીઓ નિભાવવાનો છે.